વાહરા ગામ દ્વારા અયોધ્યાથી આવેલા અક્ષતના વધામણા કર્યા
રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશના દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના વાહરા ગામ લોકો દ્વારા અયોધ્યાથી આવેલા અક્ષત લઈ ત્યાં વધામણા કરવામાં આવ્યા હતા.ડીસા તાલુકાના વાહરા ગામમાં અયોધ્યા પૂજા થઇ આવેલ આવેલ અક્ષત કળશ યાત્રા નકળંગ ભગવાન મંદિરથી વાહરા ગામમાં પ્રખંડમાં ભવ્ય રીતે કાઢવામાં આવી હતી. જેમાં દરેક રામભક્તોના હાથમા ભગવા રંગના ઝંડા હતા અને સાથે સાથે જય શ્રી રામ ના નારા બોલતા બોલતા વાહરા ગામે ઢોલકનાં તાલે વાજતે ગાજતે ગુંજી ઉઠ્યો હતો આ શોભાયાત્રા મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા.
ભરત ઠાકોર ભીલડી