વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ, તા.૨૬/જાન્યુઆરી ૨૦૨૪ :- વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે ૭૫ માં પ્રજાસત્તાક દિન પ્રસંગે સંસ્થાનાં ટ્રસ્ટી શ્રીમતી છાયાબેન લાલન નાં શુભ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવેલ અને સંસ્થાનાં મંત્રીશ્રી હોથૂજી પી. જાડેજા, અજીતસિહ સમા, માનસંગજી સોઢા,ખુશાલભાઈ ગાલા, કૈલાશગીરી ગૌસ્વામી તેમજ સંસ્થામાં રહેતા દિવ્યાંગ અંત્યવાશીઓએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી ને સમૂહ રાષ્ટ્ર ગીત તેમજ ઝંડાગીત બોલવા માં આવ્યું હતું. આ કાર્યક્ર્મ માં આસપાસ ના ગામડાઓનાં દિવ્યાગોએ ભાગ લીધેલ આમ આ રીતે પ્રજાસતાક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવેલ.