MEHSANAVIJAPUR

હઝરત સૈયદ શાહઆલમ બુખારી રહેમતુલ્લા અલયહે ના ઉર્ષની ઉજવણી ની તૈયારીઓ લાડુ નું વિતરણ કરાયુ

હઝરત સૈયદ શાહઆલમ બુખારી રહેમતુલ્લા અલયહે ના ઉર્ષની ઉજવણી ની તૈયારીઓ લાડુ નું વિતરણ કરાયુ
દરગાહ ના સજ્જાદાનશીન હઝરત સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવા સાબ દ્વારા લાડુ વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત ના અમદાવાદ ખાતે આવેલ ખ્વાજા મહાન બુઝુર્ગ હઝરત સૈયદ શાહેઆલમ બુખારી ના 565 માં ઉર્ષની ઉજવણી ના તૈયારીઓ ના ભાગરૂપે મુસ્લીમ ચાંદ 30 ચાંદરાત ના રોજ લાડુની પ્રસાદી નું વિતરણ દરગાહ શરીફ ના સજ્જાદા નશીન હઝરત સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવાસાબ ઝરે નિગરાની માં કરવામાં આવ્યું હતું જેમાં હઝરત શાહે આલમ ના પ્રપૌત્ર ની વિજાપુર ખાતે આવેલ દરગાહ શરીફ હઝરત સૈયદ મહેમુદ શાહયા બુખારી સલાઉલ મુલ્ક ના વંશજો એ હાજરી આપી હતી તેમજ ચાદર પોશી ફૂલ પોશી કરવામાં આવી હતી તેમજ અમદાવાદ શાહ આલમ દરગાહ શરીફના સજજાદા સૈયદ અબ્દે મુનાફ બાવા સાબ નુ ઇસ્તક બાલ કરવામાં આવ્યું હતુ દરગાહ શરીફ ખાતે આવેલ શ્રધ્ધાળુ ઓએ લાડુ ની પ્રસાદી મેળવી હતી હજારો કિલો ની માત્રા માં દરગાહ શરીફ ના તમામ સજ્જાદા ઓ લાડુ વિતરણ ના કાર્યક્રમ માં જોડાઈ હજારોની સંખ્યામાં આવેલ લોકોને પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી હાલ માં ઉર્ષની તૈયારીઓ વીસ દિવસથી કરવામાં આવતી હોય છે સંદલ શરીફના પ્રસંગ માં લાખો ની સંખ્યામાં લોકો આવતા હોવાથી સમગ્ર પોલીસ પણ તૈનાત રહી સેવાઓ પુરી પાડે છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!