RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય વિસ્તારમાં “નો યોર પોલિંગ સ્ટેશન” અંતર્ગત મતદારોએ જાણ્યા પોતાના મતદાનના બુથ

તા.૨૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

વાંકાનેર,ઉપલેટા,જેતપુર,ધોરાજીના લોકોને મળી બુથ સહિત મતદાન વિશેની આવશ્યક માહિતી

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી ૭ મેના રોજ ૧૦- રાજકોટ સંસદીય બેઠક માટે મતદાન યોજાશે ત્યારે આજરોજ સર્વે બુથો પર બી.એલ.ઓશ્રી ઉપસ્થિત રહી મતદારોને તેમના મતદાન મથક વિશેની માહિતી આપી રહ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં “નો યોર પોલિંગ સ્ટેશન” એટલે કે “તમારા મતદાન મથક વિશે જાણો” કાર્યક્રમ દ્વારા જે તે વિસ્તારના મતદારોને પોતાના મતદાન મથકની માહિતી અગાઉથી જ મળી રહે તે માટે આજરોજ કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત વાંકાનેર, ઉપલેટા, જેતપુર, ધોરાજી સહિતના વિધાનસભા વિસ્તારના લોકોને બી.એલ.ઓશ્રી દ્વારા મતદાન મથક તેમજ મતદાનની પ્રક્રિયામાં આવશ્યક દસ્તાવેજો જેવા કે, ઓળખ કાર્ડ માટેના વિવિધ ૧૨ માન્ય પુરાવા, મતદાર કાપલી, અંધ કે અન્ય અપંગતા ધરાવતા દિવ્યાંગો તથા વૃદ્ધ મતદારો માટેની વિવિધ સુવિધાઓ જેવી મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી. સાથે જ વિવિધ બુથ ઉપર ફેસીલીટી સેન્ટર પણ બનાવવામાં આવશે જેના પરથી મતદારોને મતદાનના દિવસે પણ દરેક આવશ્યક માહિતી તથા જરૂરી સહકાર મળી રહેશે.

અગાઉ મતદારોને પોતાના મતદાન મથક વિશેની પૂરતી માહિતી ન હોવાને કારણે મતદાનના દિવસે તેમને અનેક પ્રકારની અગવડતાઓનો સામનો કરવો પડતો હતો. આ પહેલ દ્વારા ચૂંટણી પંચે લોકોને થતી મુશ્કેલીઓનું નિરાકરણ કર્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!