JETPURRAJKOT

રાજકોટ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઇ

તા.૯ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જમીનની ફાળવણી, પશુ નિભાવ ખર્ચ, વેટરનરી ડોક્ટરની સુવિધા સાથે એવીયરી સ્થાપવા મુદ્દે ચર્ચા કરાઈ

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાની પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની વર્ષ ૨૦૨૨-‘૨૩ની કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ દ્વારા નવા સભ્ય નોંધણી માટે રજુ થયેલ અરજી તથા પાંજરાપોળને ચુકવવાની બાકી રહેલ રકમની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ સમિતિ માટે જમીનની ફાળવણી, પશુ દવાખાના અને પશુ નિભાવ ખર્ચ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, કતલખાનાની ઇન્સ્પેકશન માટે કામગીરી નિર્ધારિત કરવા તેમજ જંગલના પક્ષીઓને રેસ્ક્યુ કરી સાચવવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ અંતર્ગત વેટરનરી ડોક્ટરની સુવિધા સાથે એવીયરી સ્થાપવા બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રી કે. યુ. ખાનપરા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી હંસાબેન મોકરીયા, મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસરશ્રી ડો. ભાવેશ જાકાસણીયા, કારોબારી સભ્યશ્રી દિવ્યેશ લુંભાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!