વિજાપુર ના લાડોલ ગામે આવેલ હરીસિદ્ધ માતાના મંદિરે મહાસુદ પૂનમે શ્રુંગાર કરાયો ભક્તો ની ભીડ જામી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામે આવેલ હરિસિધ્ધિ શક્તિ પીઠ સોલંકી કાળ માં બનેલા માતા હરીસિદ્ધ દુર્ગા સ્વરૂપ માતાજી ને મહાસુદ પૂનમ ના દિવસે શ્રીંગાર કરવામાં આવ્યો હતો તેમજ 51 જેટલા દીવડા સાથે મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે બહારગામ રહેતા ભક્તો જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતી માં જોડાઈ ને ધન્ય બન્યા હતા લોકોએ માતાજી દર્શન કરી મહાપ્રસાદ મેળવી પાવન બન્યા હતા અહીંના મહંત અશ્વિનભાઈ જાની દ્વારા જુદાજુદા દાતાઓ અને ભક્તો દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી આ રૂડા અવસરે લોકો મોટી સંખ્યામાં જોડાઈ માતાજી ના દર્શન નો લાભ લીધો હતો