GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જસદણનાં બોઘરાવદર ગામે સ્વીપ અંતર્ગત ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

તા.૧૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ અનુસંધાને સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૭૨ જસદણ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત બોઘરાવદર ગામે ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં નાગરિકોને મતદાન અંગેના પેમ્ફલેટનું વિતરણ કરીને આ વિષે સમજુતી આપવામાં આવી હતી. લોકશાહીમાં ભાગ લેવા અને તેને મજબુત બનાવવા માટે તમામ નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વધુમાં ગ્રામજનો ૭ મે ના રોજ અચૂક મતદાન કરે તેમજ અન્યને પણ પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!