DAHOD

ઝાલોદ તાલુકાના થેરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો

તા.૧૬.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના થેરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના થેરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાધેલાના અધ્યક્ષતામાં પેશન્ટ પ્રોવાઇડર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૩ ટીબીના દર્દીઓ હાજર રહેલ હતા અને ૩૪ ટ્રીટમેન્ટ સપોર્ટર હાજર રહેલ હતા

આ મીટિંગમા ટીબીના લક્ષણો વિશે, દર્દીઓને દવા નિયમિત લેવાની, દવાની આડ અસરો વિશે અને યોગાસન પ્રાણાયામ વિશે સંપૂર્ણ માહિતી પણ દર્દીઓને આપવામાં આવી હતી તેમજ નિક્ષય મિત્ર બની કુલ ૪૩ દર્દીને દત્તક લઈ પોષણ કીટ આપવામાં આવી હતી

આ મીટિંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ગ્રામ પંચાયત થેરકા ના સરપંચ રાજુભાઇ સંગાડા, ગ્રામ પંચાયત વાગેલા ના સરપંચ શ્રી રસનભાઈ ડામોર, તાલુકા સભ્ય સતીષભાઈ વસૈયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના મેનેજર સાહેબ, મહિલા મોરચાના મહામંત્રી , ટીબી સુપરવાઈઝર કેયુરભાઈ પંચાલ , સતિષભાઇ ગરાસિયા સંદીપભાઇ બારિયા , ટીબી ચેમ્પિયન બાબુભાઈ કલારા ,આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર થેરકા અને આરોગ્ય કેન્દ્ર નો તમામ cho, mphw, fhw , આશાવર્કર બેનો સ્ટાફ હાજર રહેલ હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!