તા.૨૭.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
આમ આદમી પાર્ટીની તિરંગા સભા યોજાઈ આઝાદીના આટલા વર્ષો પછી પણ ઝાલોદ તાલુકાનું બલેન્ડિયા ગામ સુવિધાઓથી વંચિત
આપ મહિલા નેતા શ્રુતિબેન ડામોરના આયોજનથી ઝાલોદ વિધાનસભા ઉમેદવાર અનિલભાઈ ગરાસિયા સંકલનથી ઝાલોદ તાલુકાના બલેન્ડિયા ગામે આમ આદમી પાર્ટીની તિરંગા સભા યોજાઈ આપ ગુજરાત કિસાન પ્રદેશ ઉપાધ્યક્ષ રમસુભાઈ હઠીલાએ જણાવ્યુંકે દાહોદ જિલ્લાનો ખેડૂત પીડાઈ રહ્યો છે ખાતરની કાળા બજારી થાય છે સમયસર ખાતર મળતું નથી આપ ગુજરાત મહિલા સચિવ તરુલતા બેન હઠીલાએ જણાવ્યુંકે નર્મદાનું પાણી કચ્છને મળે પણ દાહોદને મળતું નથી સિંચાઈ પાણીની સુવિધાથી દાહોદ જિલ્લાનો ખેડૂત સમૃદ્ધ થઈ શકે એમ છે..ઝાલોદ વિધાનસભા ઉમેદવાર અનિલભાઈ ગરસિયાએ જણાવ્યું કે બલેન્ડિયા ગામમાં નલ સે જળ યોજના સદંતર નિષ્ફળ છે .આજે પણ 50%થી વધુ ઘરો વિજમીટરથી વંચિત છે દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારીયાએ જણાવ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી સમાજ માટે ઘાતક સાબિત થશે…જમીનો છીનવાઈ જશે..આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગાડા એ જણાવ્યું કે તિરંગા સભા કોઈ રાજકીય પ્રોગ્રામ નથી જનજાગૃતિ અર્થ દર શનિવારે ગુજરાતના પ્રત્યેક તાલુકા નગરપાલિકામાં તિરંગા સભા યોજાય છે આવનાર સમય સમગ્ર ગુજરાત ના તમામ ગામમાં તિરંગા સભા યોજાશે માહિતી અધિકાર અધિનિયમ (rti)નો કાયદો નવા નવા પરિપત્રો માધ્યમથી આ ભાજપની સરકાર ખતમ કરવા માંગે છે આવનાર સમયમાં બલેન્ડિયા ગામની સ્થાનિક સમસ્યાઓ બબાતે રજુઆત કરી નિરાકરણ માટે આપ લડત આપશે