માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સ્વચ્છતા હી સેવા“ અભિયાનમાં નાગરિકો જોડાઇ રહ્યાં છે. આગામી તા. ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બગીચામાં સફાઈ તેમજ વિવિધ ગામોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.