વઢવાણ ધોળીપોળ પાણીની ટાંકીની લાઈનમાં લીકેજથી પાણીનો વેડફાટથી રોષ ફેલાયો.
તા.12/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં આડેધડ ખોદકામથી ત્રસ્ત લોકો પાણી માટે તરસ્યા છે ત્યારે ભોગાવો નદીમાં હજારો લીટર પાણીના વેડફાટથી રોષ ફેલાયો છે વઢવાણ ધોળીપોળ પાણીની ટાંકીમાંથી પાણીનો સદુપયોગ કરવા માંગણી ઉઠી છે હાલ કાળઝાળ ઉનાળામાં જિલ્લામાં પાણીની માંગ સતત વધી રહી છે જેમાં વઢવાણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો પરેશાની ભોગવી રહ્યા છે વઢવાણ શહેરમાં 40 ડિગ્રી તાપમાનમાં લોકો શેકાઇ રહ્યા છે વઢવાણ નગરની શેરીઓ અને રસ્તા પર આડેધડ ખોદકામથી પ્રજા ત્રસ્ત છે વઢવાણમાં હાલ પાણીના પોકાર છેવાડાના વિસ્તારોના શરૂ થયા છે જેમાં પાણીની પાઇપ લાઇન હોવા છતાં ખોદકામ પાછળ કરોડ રૂપિયાનું પાણી થઇ રહ્યું છે બીજી તરફ વઢવાણ ધોળીપોળ પાણીની ટાંકીમાં પાણીનો વેડફાટ થાય છે આથી ભોગાવો નદીમાં વહી જાય છે હજારો લીટર પાણીના વેડફાટ વચ્ચે પ્રજા તરસી બનીને તમાશો જોઇ રહી છે આથી પાણીની પાઇપ લાઇનમાંથી પાણી બંધ કરી આ પાણીનો સદુપયોગ કરવા લોકોની લાગણી અને માંગણી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!