Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક
તા.૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતા ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા જનરલ ઓબ્ઝર્વર તરીકે ૨૦૧૦ ની બેચના આઈ.એ.એસ શ્રી નેહા ગિરી ની ૧0- રાજકોટ સંસદીય વિસ્તારના ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઈ છે. જયારે લો એન્ડ ઓર્ડરની કામગીરીની દેખરેખ માટે પોલીસ ઓબ્ઝર્વર તરીકે ૨૦૧૧ ની બેચના આઈ.પી.એસ. શ્રી ચંદન કુમાર ઝા ની નિમણુંક કરવામાં આવી છે.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શી તેમજ નિયમાનુસાર પૂર્ણ થાય તે હેતુ જનરલ ઓબ્ઝર્વર શ્રી નેહા ગિરી તેમજ પોલીસ ઓબ્ઝર્વર શ્રી ચંદન કુમાર ઝા ૧૦- રાજકોટ સંસદીય વિસ્તાર હેઠળ ૬૮ થી ૭૫ વિધાનસભા મત વિસ્તારની કામગીરી પર દેખરેખ રાખશે.