DEDIAPADAGUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે ‘સંવિધાન દિવસ’ નિમિત્તે સેમિનાર યોજાયો

નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે ‘સંવિધાન દિવસ’ નિમિત્તે સેમિનાર યોજાયો

 

મુખ્ય મહેમાન નર્મદા જિલ્લા ઇંચ. પોલીસ અધિક્ષક વાણી દુધાતની ઉપસ્થિતિમાં સંવિધાન દિવસની ઉજવણી કરી બંધારણના અમુખનું વાંચન કરાયું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

       આમ નાગરીકો તથા જાહેર જીવનમાં કામ કરતા તમામ આગેવનોમાં ભારતના બંધારણના સંદર્ભમાં લોક જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૨૬ નવેમ્બર ના રોજ ‘સંવિધાન દિવસ’ તરીકે ઉજવવાનું કેન્દ્ર/રાજ્ય સરકાર નક્કી કરવામાં આવ્યું છે જે સંદર્ભે નર્મદા જિલ્લામાં પણ ‘સંવિધાન દિવસ’ ની ઉજવણી કરાઇ હતી નર્મદા જિલ્લામાં જીતનગર ખાતે પોલીસ ટ્રેનિંગ હોલમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

    સેમિનારમાં મુખ્ય મહેમાન નર્મદા જિલ્લા ઇંચ. પોલીસ અધિક્ષક વાણી દુધાતની ઉપસ્થિતિમાં સંવિધાન દિવસની ઉજવણી કરી બંધારણના અમુખનું વાંચન કરાયું સાથો સાથ પ્રોબ . Dysp કૃણાલસિંહ પરમાર ,રાજપીપલા ટાઉન પી.આઇ. આર જી ચૌધરી , ડી.જે.રાણા  હજર રહ્યા હતા

 

મુકેશભાઈ ચૌહાણ , પ્રવીણભાઈ પરમાર , મુળજી દાદા  સહિત મહાનુભાવોએ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરી ભારતીય બંધારણ વિશે સમજ આપી મહત્વ સમજાવ્યું હતું તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન નર્મદા જિલ્લા ઇંચ. પોલીસ અધિક્ષક વાણી દુધાત દ્વારા સંવિધાન દિવસ ની ઉજવણી સંદર્ભે ઉદ્બોધન કર્યું હતું

 

નર્મદા જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આ સેમીનારનું આયોજન કરાયું હતું જેમાં જે.જે. ગોહીલ જિલ્લા સરકારી વકીલ, સાથે પ્રોગ્રામ ઇન્ચાર્જ પી.એચ. પરમાર મદદનીશ સરકારી વકીલ, તેમજ વી.આઇ. ભટ્ટ મદદનીશ સરકારી વકીલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!