6 જુલાઈ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ ખાતે ચાલતા ભારતમાલા રોડ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરતાં રવિ ઈન્ફ્રા કંપનીના કેમ્પ ખાતે થરાદ ના વજેગઢ નો યુવાન ગયેલ હતો ત્યારે ચોરી નો આરોપ લગાવતા ભાગેલ યુવાન પાણી ભરેલા ખાડામાં પડતાં મોત નિપજ્યું હતું જેથી કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
જોકે ભારતમાલા રોડની ચાલતી કામગીરી કરતી કંપની ના કેમ્પ મા જતા વજેગઢ ગામના ઈસમને પકડી રાખી કાયદો હાથમાં લઈને માર માર્યો હોવાનું ફરિયાદમા જણાવ્યું છે જોકે ચોરીનો આરોપ લગાવી કાયદો હાથમાં લેતા કંપની ના માણસો કિશનસિંહ, કુલદીપ, પ્રદિપ, પાન્ડેજી સહિત અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જોકે વજેગઢ ગામના ઈસમ હેમરાજભાઈને ગડદાપાટુનો માર મારી પકડી રાખ્યો હતો ત્યારબાદ ફરી યુવાન ડરી જતાં ત્યાથી ભાગવા જતાં ખુલ્લામા ખોદેલા ખાડો જેમાં પાણી ભરેલું હોઈ તેમાં કુદી પડતાં પાણીમા ડુબવાથી મૃત્યુ પામ્યો હતો .જયાં ફાયર ટીમ થરાદ થી દોડી આવી હતી.જોકે મરણ યુવાન ના પરિવારજનોએ કંપની ના માણસો જેમણે પાણીમા કુદવા મજબુર કર્યો તેમના વિરુદ્ધ કાયૅવાહી કરવામાં આવે તેવી ફરિયાદ નોંધાવી છે જોકે રવિ ઈન્ફ્રા કંપનીના માણસો એ પણ પ્રતિક્રિયા આપી હતી. જેમાં કંપનીના વ્યક્તિ ને ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું.