BHARUCHGUJARAT

વાગરા: કંપનીમાં કામ કરતો શ્રમિક નીચે પટકાતા ઇજાગ્રસ્ત બન્યો, વાગરા બાદ ભરૂચ ખાતે રીફર કરાયો

સમીર પટેલ, ભરૂચ

સાયખા જીઆઇડીસી ની એક કંપનીમાં કામ કરતો કામદાર અગમ્ય કારણોસર નીચે ઢળી પડ્તા સારવાર હેઠળ વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરત જણાતા વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત Uc Colours & Intermediates Pvt.Ltd નામની કંપનીમાં આજે સવારે લગભગ 11 વાગ્યાના સમયે એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો. બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી ગયા હતા. જ્યા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કંપનીમાં ઘટના બની હોવા છતાં કંપની સત્તાધીશો વાગરા હોસ્પિટલમાં યુવકની ખબર અંતર જોવા માટે ફરકયા પણ ન હતા. ઇજાગ્રસ્ત બનેલ યુવક સતદિપ કુમાર (ઉ.વ 24) મૂળ રહે. બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળેલી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત સતદિપ સુશીલ કોન્ટ્રાકટમાં કામ કરતો હતો. ઘટના અંગે પુછતાછ કરતા હાજર કોન્ટ્રાકટરે પણ મોન વ્રત ધારણ કરી લીધું હતું. સેફટી પ્રત્યે કંપની સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે. કામ કરતી વેળાએ કામદારોને સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ.? સેફટીના અભાવેજ આવા બનાવો બનતા હોય છે. જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે. સેફ્ટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પણ પંથકમાં ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!