ઊંઝા ઉનાવા ખાતે શ્રી મીરાદાતાર સર્વોદય વિદ્યાલય દ્વારા પ્રજાસત્તાક દિન ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઊંઝા ઉનાવા ખાતે શ્રી નાગરિક મંડળ સંચાલિત શ્રી મીરાદાતાર સર્વોદય વિદ્યાલય અને શ્રી વી.એચ.રાવલ ઉ.મા.શાળા તેમજ સરદાર પ્રા.શાળામાં ભવ્ય 75 આઝાદીકા અમૃતમહોત્સવ પ્રેરિત પ્રજાસ્તાકદિનની ઉજવણી કરાઈ હતી તેમાં પ્રા.શાળાના નનાભૂલકાઓ દ્વારા નાટક,દેશભક્તિ નૃત્ય અને ગીતો રજૂ કરાયા હતા.તે સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાંથી દેશભક્તિ ગીતો,નૃત્ય અને ઘુમર રજૂ કરાયું હતું.એન.સી.સી.પરેડ કડેટ્સ દ્વારા કરાઈ હતી. નાગરિક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને મેડલ,સર્ટી આપી સન્માનિત કરાયા હતા.આ સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ મહેશભાઈ,મંત્રી પ્રતાપભાઈ,ઉપપ્રમુખ તુષારભાઈ,સહમંત્રી માધુભાઈ અને અન્ય કારોબારી સદશ્યો ઉપસ્થિત રહ્યા હતા.પ્રસંગોચિત વક્તવ્ય આચાર્ય દ્વારા અપાયું હતું.સરદાર પ્રા.શાળાના આચાર્યા એ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ હાજર રહી સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ જોષીએ કર્યું હતું.અંતે મંત્રી પ્રતાપભાઈ દ્વારા શાળાપરિવારને અભિનંદન પાઠવ્યા હતા.