GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા તાલુકાની ૨૩ વર્ષીય મહિલાને કુટુંબમાં લાગતા જેઠ દ્વારા પજવણી કરવામાં આવતી હતી આથી મહીસાગર ૧૮૧ ટીમ મદદે પહોંચી.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુણાવાડા તાલુકાની ૨૩ વર્ષીય મહિલાને કુટુંબમાં લાગતા જેઠ દ્વારા પજવણી કરવામાં આવતી હતી આથી મહીસાગર ૧૮૧ ટીમ મદદે પહોંચી.

       મહીસાગર ૧૮૧ ટીમ ડ્યુટી પર હાજર હતી તે દરમિયાન લુણાવાડા તાલુકામાંથી ૨૩ વર્ષીય મહિલાએ ૧૮૧ પર ફોન કરી જણાવેલ કે કુટુંબમાં લાગતા જેઠ વારંવાર ઘરે આવીને હેરાનગતિ કરે છે તથા ગાળો બોલે છે આથી મદદની જરૂર છે અને તમે નહીં આવો તો હું આત્મહત્યા કરી લઉં છું તેમ જણાવતા હતા મહીસાગર ૧૮૧ ટીમ તરત ઘટના સ્થળ પર પહોંચી મહિલાને મળીને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે મહિલાના પતિ બહારગામ રહે છે તથા ઘરે તેમના સાસુ રહે છે સસરા હયાત નથી આથી તેમના કુટુંબમાં જેઠ થાય છે તે વારંવાર મહિલાને કહ્યા કરે કે તને તો મારે લઈ જવાની છે મારી પત્ની બનાવવાની છે જેવી દારૂ પીને ધમકી આપે છે વારંવાર ઘરે પણ આવી જાય છે અને ખરાબ ગાળો બોલી માનસિક ત્રાસ આપે છે તેમ જણાવતા હતા આથી તેમના જેઠ સાથે વાતચીત કરી સમજાવ્યા કે આવી રીતે હેરાનગતિ કરવી નહીં મહિલાના ઘરે જવું નહીં તથા ખરાબ ગાળો બોલવી નહીં બે મહિલાઓ ઘરે એકલી રહે છે તો તેનો ફાયદો ઉઠાવી તેમને હેરાન ગતિ કરવી નહીં નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વાતથી તેમના જેઠ સંમત થયા હતા તથા જણાવતા હતા કે હવે પછી મારી કોઈ ફરિયાદ આવશે નહીં કે હું હવે હેરાન ગતિ નહીં કરું અને માફી માગી હતી આથી મહિલાને કાયદાકીય માહિતી આપી મહિલાએ તથા મહિલાના સાસુ એ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!