તા.૭/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
આંતરરાષ્ટ્રીય મિલેટ દિવસની ઉજવણી અન્વયે રાજકોટ ગ્રામ્ય ની આંગણવાડીની વર્કર બહેનો દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ પર મીલેટ્સ અંગે કાર્યક્રમો યોજાયા હતા.
આંગણવાડીના બહેનો દ્વારા જાહેર માર્ગો ઉપર મિલેટસ વિશે બેનર તેમજ પોસ્ટર લઈને પોષણયુક્ત આહાર વિશે જાણકારી આપવામાં આવી હતી. આ રીતે આંગણવાડીના બહેનો દ્વારા જન્માષ્ટમીના પર્વ પર વિશેષ રીતે જનજાગૃતિ લોકોમાં લાવવાનો પ્રયાસ અનોખી રીતે કરવામાં આવ્યો હતો.