શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ મા ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી.

26 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ મા ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી.આજરોજ સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ ખાતે આદ્યશક્તિની આરાધનાના પર્વ ‘ચૈત્ર નવરાત્રિ’ ની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત માં શાળાના આચાર્યશ્રી દ્વારા ચૈત્ર નવરાત્રિના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે,શક્તિ સૃષ્ટિ છે અને શક્તિ વગર સૃષ્ટિ અસંભવ છે. તથા વિદ્યાર્થીનીઓનું કન્યા પૂજન કરવામાં આવ્યું. કન્યાઓની પૂજા કુમકુમ, પુષ્પ, દીપ આરતી અને પ્રસાદથી કરવામાં આવી. કન્યાઓના પદચિન્હની કુમકુમ થી છાપ લેવામાં આવી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા.નવરાત્રી દરમિયાન કન્યા પૂજન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કન્યાઓનું પૂજન આપણે દેવી દુર્ગાના નવ રૂપોનું પ્રતીક માનીને કરીએ છીએ. કન્યા પૂજન નારી શક્તિના સમાજમાં યોગદાન અને મહત્વનું પ્રતીક પણ છે. કન્યા પૂજા કરવાથી માતા દુર્ગાની કૃપા ભક્તો ઉપર વરસે છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.સમગ્ર શાળા સંકુલ ‘જય માતાજી’ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે વિદ્યાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના.આ સંપૂર્ણ કાર્યક્રમ શ્રી આર એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય હેતલબેન રાવલ અને તેમના સમગ્ર સ્ટાફે કર્યું હતું. સમગ્ર સ્થાપના સહકારથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.







