GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર મહાવીર જન્મકલ્યાણ મહોત્સવ નિમિત્તે શુદ્ધ ઘી ના બુંદી ના લાડવા નું વિતરણ કરવામાં આવ્યું




WANKANER:વાંકાનેર મહાવીર જન્મકલ્યાણ મહોત્સવ નિમિત્તે શુદ્ધ ઘી ના બુંદી ના લાડવા નું વિતરણ કરવામાં આવ્યું


તા.10/04/2025 ને ગુરુવાર ના રોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર (AAA GROUP WANKANER) દ્વારા હર હંમેશ ની જેમ આજના ખાસ દિવસ નિમિતે એટલે કે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના ખાસ દિવસ નિમિતે વાંકાનેર ના ખાસ અને નામાંકિત સ્થળ એવા ચાવડી ચોક ખાતે સવારે 10.30 કલાકથી શુદ્ધ ઘી ના બુંદી ના લાડવા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકા અને શહેર ની તમામ જનતાનો અભુતપૂર્વ પ્રતિસાદ મળવા બદલ લાડવા વિતરણ બપોર ના 1 કલાક ને બદલે 12.15 પૂર્ણ થઈ ગયેલ હતું. આ તકે તમામ જાહેર જનતાનો તેમજ આ અનેરા સેવાકાર્ય માં અમૂલ્ય થી પણ વિશેષ યોગદાન આપનાર દાતાશ્રીઓ તેમજ AAA GROUP ના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર.




