અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લામાંથી 46 યાત્રિકો જમ્મુ-કાશ્મીરમાં પુર બાદ રસ્તા બંધ થતાં જમ્મુ-કાશ્મીરના શોફિયન જીલ્લાના હિરપોરા વિસ્તારમાં અટવાયા, હાલ તમામ યાત્રિકો સુરક્ષિત
અરવલ્લી જીલ્લામાંથી 46 યાત્રિકો તા.10/04/2025 થી તા.12/05/2025 ના રોજ બસ નં.MP-44-ZD-9594 થી શ્રીનગર,પહેલગામ,વૈષ્ણોદેવી વિ.ના પ્રવાસે ગયેલ.જમ્મુ-કાશ્મીરમાં પુર બાદ રસ્તા બંધ થતાં જમ્મુ-કાશ્મીરના નેશનલ હાઈ-વે-701,મુઘલ રોડ, શોફિયન જીલ્લાના હિરપોરા વિસ્તારમાં યાત્રિકો ફસાઈ ગયેલ છે જે બાબતે માન.કલેકટર અરવલ્લીને ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક જમ્મુ-કાશ્મીરના કલેકટર સાથે વાત કરી યાત્રીઓની સુરક્ષા અર્થે માહિતી મેળવેલ છે તેમજ તેઓને તમામ પ્રકારની સલામતી અને સુરક્ષા પુરી પાડવા જણાવેલ છે તેમજ DEOC અરવલ્લી ખાતેથી ટુર ઓપરેટર ભાવસાર અલ્પેશભાઈ સાથે ટેલીફોનીક વાતચીત કરતા તમામ યાત્રીઓ હાલમાં સુરક્ષિત છે તેમજ જમ્મુ-કાશ્મીરના નેશનલ હાઈ-વે-701,મુઘલ રોડ, શોફિયન જીલ્લાના હિરપોરા વિસ્તારમાં અટવાયેલા છે તેમજ યાત્રિકોને સુરક્ષા સહીતની મુસાફરી કરવા પરવાનગી આપવા અથવા જો યાત્રિકોની મુસાફરીની પરવાનગી શક્ય ન હોય તો શેલ્ટર હોમમાં પ્રાથમિક જરૂરિયાત સાથે રહેવા-જમવા સહીતની સંપૂર્ણ વ્યવસ્થા બાબતે મે.રાહત કમિશ્નરસાહેબ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરને જાણ કરતા યાત્રિકોને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંપર્ક કરી તેમની સુરક્ષા બાબતે તમામ પગલાં લેવામાં આવેલ છે.વધુમાં ઉપરોક્ત બાબતે અત્રેના જીલ્લાના કોઈ યાત્રિકો ફસાયેલા હોય તો અત્રેના જીલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,અરવલ્લી(DEOC) કન્ટ્રોલરૂમ નં.-૦૨૭૭૪-૨૫૦૨૨૧ અથવા ટોલ ફ્રી હેલ્પલાઇન નં.-૧૦૭૭ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.