વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૬: જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અને આયુર્વેદના પ્રચાર પ્રસાર તેમજ લોક કલ્યાણ માટે મરોલી ગામ ખાતે ઔષધીય વાટિકાનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય અનિતાબેન હળપતિ, સરપંચશ્રી ધર્મેશભાઇ પટેલ, મરોલી ગામ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. કાજલ મઢીકર, ગામના અગ્રણીશ્રીઓ ધનંજયભાઇ ભટ્ટ, ભાણાભાઇ પટેલ, ભરતભાઇ મહેતા, મુકુંદભાઇ મહેતા,પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કિરણબેન શાહ તથા આયુષ ટીમ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
Follow Us