વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપ લાઇનમાં લીકેજ થતાં આગ લાગી
ટીમ અને જરૂરી સાધનોની ચકાસણી અર્થે તેમજ સ્થાનિક ગ્રામજનોની સતર્કતા ચકાસવા મોકડ્રીલ યોજાઈ
તા.12/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ટીમ અને જરૂરી સાધનોની ચકાસણી અર્થે તેમજ સ્થાનિક ગ્રામજનોની સતર્કતા ચકાસવા મોકડ્રીલ યોજાઈ.
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપ લાઇનમાં લીકેજ થતાં જિલ્લા તંત્ર દોડતું થયું હતું એક વ્યક્તિ ઘાયલ થઈ જતાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં હતી ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, એન.ડી.આર.એફ. ફાયર બ્રિગેડની ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતનાં સંબધિત વિભાગોના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આઈ.ઓ.સી.એલ. ની પશ્ચિમ ક્ષેત્રની સલાયા – મથુરા પાઇપ લાઇનમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરવામાં આવે છે આ પાઈપ લાઈનની જાળવણી, સલામતી અને સુરક્ષા માટે તેમજ કાટ સામે રક્ષણ અને સંરક્ષણ માટે CTE કોટિંગ (કોલ્ડ ટેપ અને PU દ્વારા બદલવામાં આવે છે) કરવાની કામગીરી ચાલી રહી છે કોટિંગ કામ કરતી વખતે પાઇપની સપાટી સાફ કરવામાં આવે છે આ સપાટી સાફ કરતી વેળાએ થોડું ક્રૂડ સીપેજ થયું હતું સાઈટ ઇજનેરો કામગીરી તપાસ કરી રહ્યા હતા ત્યારે માઈનોર સીપેજ ધ્યાનમાં આવતાં કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી કંટ્રોલ રૂમને જાણ થતા જ સંબંધિત તમામ ટીમને જાણ કરી દેવામાં આવી હતી. મેન્ટેનન્સ ટીમ તુરંત જ પહોંચી ગઈ હતી ક્રૂડ સીપેજ વધી જતા લીકેજમાં ફેરવાયું અને પરિણામે આગ લાગવાનું શરૂ થતાં આઈ. ઓ. સી. એલ.ની ટીમ દ્વારા ફાયર એક્સ્ટીંગ્યુશરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ દરમિયાન આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થઈ હતી જેને આઈ. ઓ. સી. એલ.ની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ગણતરીની મીનીટોમાં જ ફાયર બ્રિગેડની ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી ગઈ હતી ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લીધા બાદ પાઈપલાઈન લીકેજ રીપેરીંગની કામગીરી ત્વરિત હાથ ધરવામાં આવી હતી સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવ્યા બાદ આઈ. ઓ. સી.એલ.ના ડેપ્યુટી જનરલ મેનેજર અને સ્ટેશન ઇન્ચાર્જ વિજય જૈન દ્વારા સમગ્ર ઘટનાને ઓફસાઇટ મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી પાઈપ લાઈન લીકેજ હોય ત્યારે આપત્તિ સમયે કેવા કેવા પગલાં લેવા જોઈએ?, કોને કોને જાણ કરવી જોઈએ? કઈ રીતે સાવચેતી રાખવી? તે તમામ બાબતે મહત્વવપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી ઘાયલ થયેલ લોકોને આપવાની થતી પ્રાથમિક સારવાર બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા આપત્તિ સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ સુરેન્દ્રનગર મામલતદાર એચ.ડી. વાડા, ડેપ્યુટી મામલતદાર એચ.જે. શ્રોત્રિય, ડી.પી.ઓ. હિમાંશુ સોલંકી, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ આસિસ્ટન્ટ ડાયરેક્ટર જતીન આદેશરા, એન. ડી.આર.એફ. ઇન્સ્પેક્ટર અમિતકુમાર જાખર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરેન્દ્રનગરના દશરથ નારોડા અને હસમુખ સોનારા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સુબ્રત બેહેરા અને નિમિત ઉપાધ્યાય, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ. એસ. જાડેજા, ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમના વનરાજ મેદરાણીયા, ફાયર રેસ્ક્યુ ટીમના જય રાવલ અને ટીમ, ટ્રાફિક પોલીસ કંટ્રોલ ટીમ, આઈ.ઓ.સી.એલ.ની ટીમ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતમાં સફળતા પૂર્વક યોજાઈ હતી.