GUJARATMODASA

અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન શિબિર યોજાઈ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન શિબિર યોજાઈ

અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન શિબિર તેમજ જિલ્લાના નવનિયુક્ત આચાર્યઓ સ્નેહમિલન સમારોહ ગાંધીવાદી વિચારો સાથે વણાયેલી સંસ્થા શ્રી આદિવાસી સેવા સમિતિ શામળાજી નૂસિંહ ધામ સર્વોદય આશ્રમ ખાતે માનનીય જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષાબેન ગામીત ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી, આચાર્ય સંઘના મહામંત્રી  સંજયભાઈ જોશી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યા હતા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, મહેમાનોનું ફૂલ છડી અને શાલ થી સન્માન કરવામાં આવ્યું હતું, જિલ્લા શિક્ષણા ધિકારીની કચેરીના ઈ.આઈ દશરથભાઈ નીનામા, તેમજ જયેશભાઈ પટેલ દ્વારા વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અરવલ્લી જિલ્લામાં નવનિયુક્ત આચાર્યઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા, આચાર્ય સંઘના પ્રમુખ એન ડી પટેલ દ્વારા વહીવટી પ્રશ્નોનું તેમજ ઓફિસ સાથેના કામકાજની ચર્ચા કરવામાં આવી હતી તેમજ નવનિયુક્ત આચાર્યઓ ની આવકારવામાં આવ્યા હતા, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી એ શાળાઓના વહીવટી પ્રશ્નો, પરિણામ બાબતે, વિવિધ શાળાની સમસ્યાઓ બાબતે, બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો બાબતે વિશદ ચર્ચા કરી હતી, ત્યારબાદ અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ શિબિરમાં સમગ્ર જિલ્લામાંથી આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સંસ્થાના સંચાલક સોમજીભાઈ બારીયા સાહેબ, અરવલ્લી જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિક ભાઈ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પ્રમુખઓ તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો દ્વારા અથાક પ્રયત્ન નો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું.

Back to top button
error: Content is protected !!