GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ની સરદાર ભવન ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇ બેઠક યોજાઇ
તારીખ ૨૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નીસૂચના અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ આજરોજ સોમવારે કાલોલ કોંગ્રેસ હાઉસ,સરદાર ભવન ખાતે બપોરના એક કલાકે એઆઇસીસી ના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સહ પ્રભારી ઉષાબેન નાયડુ તેમજ માજી મંત્રી ઉદેસિંહ બારીયા પ્રદેશના અને જિલ્લાના પદાધિકારીઓ,કાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ ના આગેવાનો આગામી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સલાહ સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું જેમાં તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ કાલોલના હોદ્દેદાર, કાર્યકરો બેઠક માં ઉપસ્થિત રહ્યાં હતા.