GUJARATPANCHMAHALSHEHERA

શહેરા:- ચેટીચાંદ અને રમઝાન ઈદના તહેવારને અનુલક્ષીને શહેરા પોલીસ મથક ખાતે સામાજિક આગેવાનોની શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

આગામી દિવસોમાં ચેટીચાંદ અને રમઝાન ઈદ જેવા હિન્દ-મુસ્લિમ સમાજના તહેવારો આવનાર છે,ત્યારે આવનાર તહેવારોને અનુલક્ષીને પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર આર.કે.રાજપૂતના અધ્યક્ષ સ્થાને અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.એમ.ડામોર તેમજ પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એલ.સેવાડીયાની ઉપસ્થિતીમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી,જેમાં ચેટીચાંદ અને રમઝાન ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં શહેરા નગરના હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!