BANASKANTHAGUJARATKANKREJ
સાંપરિયાવાસ વડા પ્રા.શાળાના મ.ભો.યો.સંચાલકનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો…
સાંપરિયાવાસ વડા પ્રા. શાળાના મ.ભો.યો.સંચાલક ગંભીરજી એસ.અટુંબીયા (ઠાકોર) છેલ્લા ૩૦ વર્ષથી નિષ્ઠા પૂર્વક સેવા આપી વય નિવૃત થતાં

સાંપરિયાવાસ વડા પ્રા.શાળાના મ.ભો.યો.સંચાલકનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો…
ઓગડ તાલુકાના વડા ખાતે આવેલ સાંપરિયાવાસ વડા પ્રા. શાળાના મ.ભો.યો.સંચાલક ગંભીરજી એસ.અટુંબીયા (ઠાકોર) છેલ્લા ૩૦ વર્ષથી નિષ્ઠા પૂર્વક સેવા આપી વય નિવૃત થતાં શાળા પરિવાર દ્વારા શાળાના આચાર્ય એમ.યુ.ઝાલા, પૂર્વ આચાર્ય પ્રવિણભાઈ સી. માધુ (ખત્રી) ની ઉપસ્થિતિમાં ફુલહાર પહેરાવી શ્રીફળ આપી શાલ ઓઢાડી સન્માનિત કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.બી.કે.સોલંકી, રાકેશભાઈ પટેલ,પોપટજી, બળવંતજી, કિર્તનજી,વનરાસિંહ વાઘેલા,રસોઈયા સૂર્યાબેન તારોરિયા વગેરે હાજર રહી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




