GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીના કારણે ખેતીવાડી તથા જાનમાલને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા – કોંગ્રેસ પ્રમુખની માગ

MORBI:મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીના કારણે ખેતીવાડી તથા જાનમાલને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા અંગે.કોંગ્રેસ પ્રમુખની માગ

 

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી, કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી, નગરપાલિકા, અધિક સચિવ સહિતનાને લેખિત રજૂઆત કરી છે.તાજેતરમાં અતિવૃષ્ટીના કારણે સમગ્ર મોરબી જીલ્લાના ગામ્ય તથા શહેરી વિસ્તારમાં નદી, તળાવ તથા ડેમમાંથી અચાનક પાણી છોડવાથી ખેતીની જમીનોનું ધોવાણ થઈ ગયેલ છે અને ઉભેલ પાંક નિષ્ફળ ગયેલ છે તથા રોડ રસ્તાઓ તુટી જવાના કારણે અમુક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયેલ છે. તેમજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ગરીબ પરીવારોના મકાનો તથા જાનમાલને પારાવાર નુકશાની થયેલ છે. જેના કારણે સમગ્ર મોરબી જીલ્લામાં ખેડુતો તથા ગરીબ પરીવારોને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે.

હાલમાં મોરબી જીલ્લાની સમગ્ર પ્રજા આર્થિક અને માનસિક રીતે હેરાન પરેશાન હોય, તમામ લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલ હોય, આ પરિસ્થિતિમાં તાત્કાલીક ધોરણે રોડ-રસ્તાઓ રીપેર કરાવવા તથા ખેડુતો, ગરીબ પરીવારો અને અસરગ્રસ્ત લોકોને આપતિ અધિનિયમ-૨૦૦૫ કાયદા અંતર્ગત કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર યુધ્ધના ધોરણે સરકારી સહાય અને રાહત આપવા તથા સ્થળાંતર કરેલ ગરીબ લોકોને તેના પડી ગયેલ મકાનને રીપેર કરાવી તેને પુનઃ વિસ્થાપન કરાવવા તેમજ તેમને આર્થિક મદદ માટે રોકડ સહાય ચૂકવવામાં આવે તેવી જીલ્લાની પ્રજાવતી માંગ

Back to top button
error: Content is protected !!