વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-રાપર કચ્છ.
રાપર,તા-04 મે : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના ‘જાગરણ પર્વ’ અંતર્ગત કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકા અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી કનુજી ઠાકોર દ્વારા રાષ્ટ્રહિત કાજે 100% મતદાન થાય તે માટે તાલુકાના તમામ મંડલમાં સ્ટીકર તથા પત્રિકાનું વિતરણ કરાયું હતું.
જાગરણ પર્વના ભાગ રૂપે વિવિધ કચેરીઓની મુલાકાત પણ લેવામાં આવી હતી. આ તકે અભિજીતભાઈ, રમેશભાઈ મઢવી, રમેશજી ઠાકોર, ભલાભાઈ પગી, પ્રવીણસિંહ, પટેલ, કાંતિભાઈ ગામેતી, સુરેશભાઈ સોંલકી, ભરતસિંહ પરમાર,સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેવું તાલુકા પ્રચાર પ્રમુખની યાદીમાં જણાવાયું હતું.