NATIONAL

મોબાઈલ ફોન ત્વચાને પહોંચાડે છે ભારે નુકસાન

મોબાઈલ ફોન એવી વસ્તુ છે કે જેના વગર આજના યુગના માનવીને તેના વગર ચાલી શકે તેમ નથી, આ મોબાઈલથી કેટલું નુકશાન થાય છે તે વિશ્વના પ્રખ્યાત ત્વચારોગ વિજ્ઞાની ડૉ. મમિના તુરેગાએ જણાવ્યું છે. જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ડૉ. મમિના” તરીકે જાણીતા છે. તેમણે એક રિસર્ચ પછી જાહેર કર્યું છે કે લોકો જે રીતે સ્માર્ટ કે સામાન્ય ફોનનો ઉપયોગ કરી રહ્યા છે તે ત્વચાને સતત નુક્શાન પહોંચાડે છે.

એક વીડિયો ક્લિપ દ્વારા મમિનાએ સમજાવ્યું હતું. TikTok પર તેમના 10 લાખ ફોલોઅર્સ છે. તેમણે સમજાવ્યું હતું કે મોબાઈલ ફોન બેક્ટેરિયાથી હંમેશા ઢંકાયેલો રહે છે, કેટલીકવાર તો જાહેર શૌચાલયમાં જેટલા બેક્ટેરીયા હોય છે તેના કરતા પણ મોબાઈલમાં વધુ હોય છે. ડૉ. મમિના તુરેગાએ ધ્યાન દોર્યું હતું કે ફોનનો રોજીંદો ઉપયોગ અને સતત તેને ચહેરા પર રાખવાથી તેમાં રહેલા બેક્ટરીયા ત્વચામાં ટ્રાન્સફર થઈ શકે છે. પિમ્પલ્સ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ડૉ. મમિનાએ જણાવ્યુ કે ફોનમાં રહેલા બેકટેરીયાને દૂર કરવા માટે ભીના કપડાથી અથવા સાબુવાળા પાણીમાં ડુબાડેલા કપડા અથવા જે પીણામાં 70%થી વધુ આલ્કોહોલ હોય તે પીણાના કપડાથી પણ ફોનને સાફ કરી શકાય છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!