BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય વિસનગરનું “લાગણીનું સુખ-03” અંતર્ગત ઉમદા કાર્ય

16 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
    હ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં આચાર્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન તથા સ્ટાફ મિત્રોના સતત પ્રયત્નોથી વર્ષ: 2024-25 માં શાળામાં થનાર વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા આર્થિક અસક્ષમતા ધરાવતા અને અભ્યાસમાં કુશળ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા આપી અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા “લાગણીનું સુખ-03” કાર્યમાં સહભાગી બની શિક્ષણને પ્રાધાન્ય આપનાર દાતાશ્રીઓએ ચોપડા છપાવવા માટે દાનરૂપે પૂરતો સહયોગ આપી સાચા અર્થમાં “અમૂલ્ય ધન એટલે કેળવણી” એ ઉકિતને સાર્થક કરેલ છે.આમ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે અને શિક્ષણને પ્રાધાન્ય આપનાર દાતાશ્રીઓનો આદર્શ શાળા પરિવાર તથા શ્રી અખિલ આંજણા કેળવણી કેળવણી મંડળ, વિસનગર લાગણીસભર અભિનંદન પાઠવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!