ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા પ્રજાપતિ સમાજના સહિયારા સહયોગથી પાટણ- સરિયદ રોડ ઉપર પાટણ થી ૪ કી.મિ.દૂર માળી સમાજની વાડી સામે ૩ વિઘા જેટલી જમીન
પ્રજાપતિ સમાજની વાડી (સંકુલ) માટે વેચાણ લીધેલ.આ વાડી (સંકુલ) માટે અનેક દાતાઓ દાનની સરવાણી વહેવડાઈ રહ્યા છે ત્યારે આ વાડી (સંકુલ) ના નિર્માણમાં સહભાગી થવા પ્રજાપતિ સમાજના સેવાભાવી ડૉ.પરાગભાઈ મંછાભાઈ સરિયદ હાલ-સોની ગામ દ્વારા ૨,૫૧,૦૦૦/- રૂપિયા તથા ભુતિયાવાસણા વતની ધંધાર્થે સુરત ખાતે સ્થાઈ થયેલ શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ
બાર પરગણા સુરતના પૂર્વપ્રમુખ લીલાભાઈ ધુડાભાઈ પ્રજાપતિ દ્વારા ૧,૧૧,૧૧૧/- રૂપિયાનું અનુદાન અર્પણ કરતા મંડળના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,મંત્રી દશરથભાઈ ગુર્જર,કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ સહિત તમામ કારોબારીસભ્યોએ બંને દાનવીર દાતાનો આભાર માન્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.