BANASKANTHAPALANPUR

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે રાષ્ટ્રીય કૃમિ દિવસ ઉજવવામાં આવ્યો       

11 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આપણા દેશમાં દર વર્ષે 10 ફેબ્રુઆરી ના રોજ રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના તમામને કૃમિની ખુબ જ ગંભીર અસર થતી હોય છે. કૃમિ યજમાનના શરીરમાંથી પોષણ મેળવી ને પોતાનો વિકાસ કરે છે. પરિણામે પોષણક્ષમ આહાર ખાવા છતાં બાળકોનું શરીર નબળું રહે છે. આ દિવસની ઊજવણીના ભાગરૂપે ગઈ કાલે સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા *albendazol* ની આખી ગોળી આપવામાં આવી હતી.આ ડ્રગ્સ કૃમિના ઈંડા પર કોઈ અસર કરતું નથી પરિણામે 10 દિવસ બાદ ફરીથી આ ગોળીનો અડધો ડોઝ 5 વરસથી નાના બાળકોને અને એક ડોઝ 5 વરસથી મોટી ઉંમરના તમામને આપવામાં આવે તો સંપૂર્ણ રીતે કૃમિ મુક્ત શરીર થઈ જાય છે. આ પ્રશંસનીય કામગીરી કરનાર દાંતા તાલુકાની તમામ આરોગ્ય વિભાગની બહેનોનો અને દાંતા તાલુકા હેલ્થ વિભાગનો સર ભવાનીસિંહ વિદ્યાલય શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!