GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં કૃમિ રોગના રક્ષણ માટે એલબેન્ડાઝોલ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું.

તારીખ ૧૧/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કૃમિ મુક્ત બાળક તંદુરસ્ત બાળક બને તે માટે કાલોલ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આવેલ જાગૃતિબેન દરજી અને પ્રિયાબેન પંચાલ દ્વારા કૃમિ સંક્રમણ અટકાવવા અને કૃમિ રોગ સામે રક્ષણ મેળવવા માટે કાલોલની શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં એલબેન્ડાઝોલ ગોળીનું વિતરણ કરી રૂબરૂમાં ખવડાવામાં આવી હતી.સાથે સાથે કૃમિના કારણે બાળકોમાં આર્યનની ઉણપ (પાંડુરોગ) થાય છે, જે તેમના માનસિક અને શારીરિક વિકાસને અવરોધે છે જેવી બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.





