BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા લોક જાગરણ પર્વનો શુભારંભ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ તા -12 એપ્રિલ  :  ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. લોકસભા 2024 ની ચૂંટણી સમગ્ર ભારત મહાપર્વ તરીકે ઉજવી રહ્યું છે. ગુજરાતમાં પણ એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય અને મહત્તમ નાગરિકો મતદાન કરી લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં સામેલ થાય એ માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો જિલ્લા ચૂંટણી પંચ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચાલી રહ્યા છે. આવું જ એક શૈક્ષણિક સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ પણ આ લોક જાગરણ તેમજ સમાજ જાગરણના ભગીરથ કાર્યમાં સહભાગી થઈ લોકોને ચોપાનીયા તેમજ સ્ટીકર જેવું સાહિત્ય વિતરણ કરી રાષ્ટ્રીય હિતમાં સો ટકા મતદાનના મહત્વને સમજાવી રહી છે. કાશીનાથ ભવન, ભુજ મધ્યે લોકસભા 2024 ચૂંટણીને જાગરણ પર્વ તરીકે ઉજવવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આર.એસ.એસ.પશ્ચિમ ક્ચ્છ ના માનનીય સંઘચાલકજી શ્રી ભરતભાઈ દરજીએ રાષ્ટ્રહિત ને સર્વોપરી માની રાષ્ટ્રહિતમાં મહત્તમ મતદારો દ્વારા મતદાન થાય એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવેલ હતો. આ બેઠકમાં પ્રાંત મંત્રી શ્રી મુરજીભાઈ ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહેલ હતા. પ્રાંત સ્તરેથી આવેલા રાષ્ટ્રહિતમાં મતદાન બાબતના સાહિત્યનો કચ્છ જિલ્લામાં એ.બી.આર.એસ.એમ. દ્વારા દસે દસ તાલુકાઓમાં નિમેલા સંયોજક અને સહસંયોજકો શેરી, મહોલ્લા, સોસાયટી, સહકારી મંડળીઓ, દૂધની મંડળીઓ ગામના ઓટલે તેમજ ખાટલા બેઠકો યોજી લોકોને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરવાનું એક મહામતદાન અભિયાન સમગ્ર એપ્રિલ માસ તેમજ મે મહિનામાં પણ ઇલેક્શનના દિવસ સુધી લોકોને મતદાન કરવા બાબતે પ્રેરીત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે એ.બી.આર.એસ.એમ. કચ્છ દ્વારા મતદાન જાગૃતિ બાબતે તૈયાર કરેલી પત્રિકામાં ભારત+રાષ્ટ્ર+વિધાતા = મતદાતા, હું સશક્ત, સતર્ક, જાગૃત અને સુરક્ષિત ભારતના નિર્માણમાં અવશ્ય મતદાન કરીશ, મારો વોટ મારો અવાજ, રાષ્ટ્રહિતમાં મારુ મતદાન સો ટકા મતદાન, જેવા સૂત્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. પ્રાંતમાંથી આ જાગરણ પર્વની ઉજવણી માટે કચ્છ જિલ્લામાં સંયોજક તરીકે રામસંગજી જાડેજા તેમજ સહસંયોજક તરીકે અલ્પેશભાઈ જાની, નયનભાઈ વાંઝા, રમેશભાઈ ગાગલ તેમજ કલ્પેશભાઈ ચૌધરી જવાબદારીઓ સોપાયેલ છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!