
તા.૧૪.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ખાતે જન્માષ્ઠમીની ઉજવણી કરવામાં આવી
આજરોજ તા.૧૪.૦૮.૨૦૨૫ ના દાહોદ તાલુકાના નગરાળા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ખાતે જન્માષ્ઠમીની ઉજવણી કરવામાં આવી. જેમાં એમ.એસ.ડબલ્યુ. સેમ.-1 અને સેમ.-3 ના વિધાર્થીઓ તેમજ એમ.એસ.ડબલ્યુ. ના આચાર્ય ડૉ. રાજુભાઇ ભૂરીયા સાહેબ, અધ્યાપકગણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત શ્રી કૃષ્ણ બાળગોપાલની આરતી થી કરવામાં આવી ત્યારબાદ વિધાર્થીઓ દ્વારા મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં દરેક વિધાર્થીઓ સાંસ્કૃતિક કપડામાં હાજર રહી ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.




