MALIYA (Miyana):માળિયાના દહીંસરા ગામે હત્યાના બનાવમાં સંડોવાયેલ બંને મુખ્ય આરોપીઓ શરતી જામીન પર છુટકારો

MALIYA (Miyana):માળિયાના દહીંસરા ગામે હત્યાના બનાવમાં સંડોવાયેલ બંને મુખ્ય આરોપીઓ શરતી જામીન પર છુટકારો
માળિયાના દહીંસરા ગામે હત્યાના બનાવમાં સંડોવાયેલ બંને મુખ્ય આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપી પક્ષની દલીલોને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને શરતી જામીન આપવા હુકમ કર્યો છે
માળિયા પોલીસ મથકમાં આરોપીઓ અરૂણ અવચર ઇન્દરીયા અને અશોક અવચર ઇન્દરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી કે આરોપીઓએ લાકડાના ધોકાથી ફરિયાદીના પતિના વાસના ભાગે મારી ઈજા કરી ફરિયાદીના પિતા આવી જતા પતિને માર મારવાથી બચાવવા જતા લાકડીથી મારી ઈજા કરી હતી અને ધમકી આપી હતી લાકડી અને લોખંડના પાઈપ વડે જીવલેણ ઘા કરી હત્યા કરી હતી માળિયા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા હતા
જેમાં આરોપીઓ અરૂણ ઇન્દરીયા અને અશોક ઇન્દરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલે ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે
જે કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી મોઘરીયા, મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેન ડી અગેચણીયા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, રવિ ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા








