
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૦૧ ઓગસ્ટ : અબડાસા તાલુકાના આશાપર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૦૩, બારા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૧, નલીયા કન્યા શાળા નંબર ૦૧ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૦૨, ખારૂઆ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૭૮, કોઠારા માનપુરા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૮૧ અને પાટ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૧૭ સહિત કુલ-૦૬ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના સંચાલકની જગ્યાઓ નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ માટે માનદ વેતનથી ભરવાની રહે છે.જેથી આ કેન્દ્રો ઉપર નિમણૂંક મેળવવા ઈચ્છતા અરજદારોએ તા.૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં નિયત ફોર્મ મેળવીને અરજી મામલતદાર કચેરી, પી.એમ.પોષણ (મ.ભો.યો) શાખા નલીયા ખાતે જમા કરાવવાની રહેશે. અરજદારોએ ફોર્મમાં દર્શાવેલા તમામ ડોકયૂમેન્ટ સાથે અરજી મોકલી આપવાની રહેશે. ઉપરોક્ત કેન્દ્રોમાં સંચાલકની લાયકાત ધોરણ ૭ પાસ કે તેની વધુ તથા ઉંમર ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચે રહેશે તેમ મામલતદારશ્રી, અબડાસા દ્વારા જણાવાયું છે.




