અહેવાલઅરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
માલપુર અને બાયડ વિસ્તાર ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને કાર્યકર્તાઓ સાથે “અમૃત કળશ યાત્રા” માં માટી એકત્ર કરાઈ
“અમૃત કળશ યાત્રા થકી માઁ ભારતીની મિટ્ટી ને વંદન કરવાનો અવસર.. માટીને નમન, વીરોને વંદન.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ‘મારી માટી, મારો દેશ’ અભિયાન દ્વારા વીરોને વંદન કરવા આહ્વાન કર્યું છે. આ અભિયાન અંતર્ગત માલપુર અને બાયડ ની અલગ અલગ તાલુકા પંચાયત સીટ ખાતે ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા , ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ સાથે “અમૃત કળશ યાત્રા” માં ઉપસ્થિતરહી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સરપંચશ્રીઓ અન્ય આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.