કિરીટ પટેલ બાયડ
પીડિત મહિલાનું યોગ્ય કાઉન્સેલિંગ કરી સાસરીયામાં પુનઃસ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી.
સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા પીડિત મહિલા તેમજ સાસરિયાનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
સખીવન સ્ટોપ સેન્ટર અરવલ્લી, મોડાસા ખાતે એક બેન ન્યાય મેળવવા માટે આવેલા હતા. સેન્ટર ખાતે આવેલ ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત બેનનું કાઉન્સિલર દ્વારા યોગ્ય કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે બેનને અન્ય જગ્યાએ અગાઉ સગાઇ કરવામાં આવેલ હતી અને તે સગાઇ ૪ વર્ષ સુધી રાખવામાં આવેલ જેથી તે છોકરાએ બન્નેના ફોટો ફેસબુક પર મુકેલ હતા અને કોઇ કારણસર સામાજીક રીતે આ સગાઇ તોડી નાખવામાં આવેલ હતી અને બીજી જગ્યાએ સગાઇ કરી લગ્ન કરે બે માસ જેટલો સમય થયેલ હતો. બાદમાં પતિ ધ્વારા ફેસબુક પરના ફોટા જોઇ બેન સાથે માનસિક ત્રાસ આપેલ જેથી બેન અગાઉ સગાઇ કરેલ તેની સાથે ભાગી ગયેલ હતા અને બેનના સાસરી તથા પિયરવારા બન્ને પક્ષકારોએ આગળના સગાઇ કરેલ છોકરાના ઘરે તોડફોડ કરીને સામે અન્ય મહિલાને ઉઠાવી જવાની ધમકીઓ આપી હતી. બેનના જીવનુ જોખમ હોવાથી બેન ભાગીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવેલ.
સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ધ્વારા બેનને આશ્રય આપી બેનને કપડા અને જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓની કિટ આપવામાં આવેલ. સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર તથા કેન્દ્ર સંચાલક ધ્વારા બેનનુ કાઉન્સેલિંગ કરી આશ્વાસન આપી તેમના મનમાં ભરાયેલો ભયને દુર કરવામાં આવ્યો અને બેન જેના જોડે ભાગી ગયા હતા તેમની જોડે સોનાની ચેન તથા પર્સ મુકીને આવી ગયા હતા તો તેમણે તે છોકરા જોડેથી સોનાની ચેન તથા પર્સ પરત મેળવી આપાવેલ અને બેનના માતા-પિતાને તેમજ બેનના પતિ તથા સાસુ- સસરાને પણ ત્રણ-ચાર વાર સેન્ટર પર બોલાવી કાઉન્સેલિંગ કરી સમજાવવામા આવ્યા કે તે તમારી પોતાની દિકરી છે અને તેનાથી જે પણ ભુલ થઇ છે તે હવે બીજી વાર નઈ થાય અને તે ભુલ માટે તેણીનો પતિ જવાબદાર છે. તેના પતિને પણ સમજાવમાં આવ્યુ કે હવે પછી બેનને કોઇપણ જાતનો માનસિક કે શારીરિક ત્રાસ આપવો નહી તથા બેનને કાયદાકિય માર્ગદર્શન આપવામાં આવેલ અને સાસરીમાં જવા માંગતા હોવાથી બેનની તમામ જવાબદારી સાથે સખી વન સ્ટોપ સેન્ટરમાં ચાર દિવસ આશ્રય આપી તેમના પતિ સાથે પુન: સ્થાપન કરવામાં આવેલ છે અને ફોલોપ લેતા જાણવા મળેલ છે કે તેઓ બન્ને હાલ, શાન્તિથી રહે છે. બેનના પિયરવાળાએ તેમજ સાસરીવાળાએ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓનો આભાર વ્યકત કરેલ હતો.