BANASKANTHAPALANPUR

તાણામાં શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય ખાતે પ્રગતિ પથ કાર્યક્રમ યોજાયો

20 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકામાં આવેલ ઘેઘૂરવડના નામે પ્રખ્યાત તાંણા ગામની ભાગોળે ઐતિહાસિક એવું શ્રી ચામુંડા માતાજી નુ મંદિર આવેલ છે.મંદિરની બાજુમાં શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય ખાતે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પ્રગતિ પથ કાર્યક્રમ  ફેબ્રુઆરી ગુરૂવારના રોજ સુરેશભાઈ હરજીભાઈ લીંબાચીયા ભલગામવાળા (શિક્ષક દુધવા પ્રા. શાળા તા. સૂઈગામ) ના અધ્યક્ષ સ્થાને નટવરલાલ વિશનજીભાઈ ઠક્કર સામાજિક અગ્રણી માર્કેટયાર્ડ થરા,સંજયકુમાર ધીરજલાલ ઠક્કર સામાજિક અગ્રણી ભદ્રેવાડીવાળાના અતિથિ વિશેષ પદે યોજાયો.જેમાં ગત વર્ષે ધોરણ-૧૦ માં એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ માં કાંકરેજ તાલુકામાં પ્રથમ નંબરે ઠક્કર નમ્રતા મહેશભાઈ (૯૫% ૯૯.૮૦ પી.આર.),દ્વિતીય નંબરે ચૌધરી ફોરમ પ્રકાશભાઈ (૯૪% ૯૯.૬૧ પી.આર.) અને તૃતીય નંબરે ઠક્કર ક્રિષ્ના અલકેશભાઈ (૯૨.૮૩% ૯૯.૩૨ પી.આર.) નું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓએ તેમની વિદ્યાલય પ્રત્યેની લાગણી પ્રગટ કરી હતી ત્યારે ટ્રસ્ટી ઈશ્વરલાલકે.ઠક્કર,પ્રધાનાચાર્ય વિલાસબેન દેસાઈ,સુખદેવભાઈ સુથાર સહિત શિક્ષકગણ, મહેમાનો તથા ગુરૂજી દીદી દ્વારા દરેક વિદ્યાર્થીઓનેશુભેચ્છાઓપાઠવવામાંઆવી.નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!