વેલંજા વિસ્તારમાં વધુ એક પત્રકારનું આગમન મનીષભાઈ ગુજરાતી હવે જનસેવાના નવા માર્ગે

પ્રતિનિધિ: વેલંજા વિસ્તારના આપ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે ઓળખાતા મનીષભાઈ ગુજરાતી હવે પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય બનવાના હોવાની ચર્ચાએ વિસ્તારમાં રસ જમાવ્યો છે. સોશિયલ મીડિયામાં તેમની સાથે સંબંધિત એક વિડિયો પણ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં તેઓ જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને પત્રકારત્વના માધ્યમથી લોકોનો અવાજ બનવાની વાત કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મનીષભાઈ ગુજરાતી રાજકીય પ્રવૃત્તિઓથી અલગ થઈ જનસેવા માટે પત્રકારત્વનો માર્ગ અપનાવી રહ્યા છે. જોકે, આ અંગે તેમની તરફથી સત્તાવાર જાહેર નિવેદન મળવું બાકી છે.
સ્થાનિક નાગરિકોમાં એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ પત્રકાર તરીકે વિસ્તારના વિકાસ, જાહેર પ્રશ્નો અને લોકોની સમસ્યાઓને નિર્ભયતાથી ઉજાગર કરશે તથા જનહિતના મુદ્દાઓને યોગ્ય મંચ આપશે.
જો મનીષભાઈ ગુજરાતી સત્તાવાર રીતે પત્રકારત્વમાં પ્રવેશ કરશે, તો વેલંજા વિસ્તારને વધુ એક સક્રિય અને જનહિતને પ્રાધાન્ય આપતા પત્રકારનો લાભ મળશે તેવી ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે.
કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત




