SURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગરમાં રોજગાર કચેરી દ્વારા પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગનું આયોજન

તા.22/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે તાલીમ વર્ગના સંચાલન માટે ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવા માટે સ્નાતક પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ અધિકારી જનરલની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતના યુવાનોનું સંરક્ષણ દળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગનું સંભવિત આયોજન તા.27/6 થી તા.26/7 સુધી કરવામાં આવશે આ તાલીમ વર્ગના સમગ્ર સંચાલન માટે 30 દિવસ માટે કરાર આધારિત કામગીરી માટે રૂ.20,000ના ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવા માટે સ્નાતક પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.




