BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લામાં મહા મતદાન માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા જન જાગરણ પર્વની ઉજવણીના ભાગરુપ જિલ્લાના મુખ્ય તેમજ નાયબ ચૂંટણી અધિકારીશ્રીની રુબરુ મુલાકાત કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ તા – 17 એપ્રિલ  : વિશ્વના સૌથી મોટા લોકશાહી પર્વ એવા લોકસભા ઇલેક્શન- ૨૦૨૪ માં સમગ્ર ભારત, ગુજરાત તેમજ જિલ્લા કક્ષાએ એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય અને મહત્તમ નાગરિકો મતદાન કરી લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં સામેલ થાય એ માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે, જિલ્લા ચૂંટણી પંચ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચાલી રહ્યા છે. આવો જ એક જન જાગરણનો પ્રયાસ કચ્છ જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ દ્વારા પણ થઈ રહ્યો છે. આ લોક જાગરણ તેમજ સમાજ જાગરણના ભગીરથ કાર્યમાં કચ્છ જિલ્લામાં સહભાગી થઈ લોકોને ચોપાનીયા, પત્રિકા તેમજ સ્ટીકર જેવું મુદ્રીત સાહિત્ય વિતરણ કરી રાષ્ટ્ર હિતમાં ૧૦૦% ટકા મતદાનના ઉદ્દેશથી લોકસભા- ૨૦૨૪ ચૂંટણીને જાગરણ પર્વ તરીકે ઉજવવા કચ્છ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી (કલેક્ટર) શ્રી તેમજ નાયબ ચુંટણી અધિકારી શ્રી ને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ટીમ દ્વારા રુબરુ મુલાકાત કરી સંગઠનની દર વિધાનસભા અને લોકસભા ઇલેક્શન સમયે જન જાગરણ તેમજ સમાજ જાગરણની માટેની કામગીરીથી વાકેફ કરાયા હતા. કચ્છ જિલ્લામાં એ.બી.આર.એસ.એમ. દ્વારા દસે દસ તાલુકાઓમાં નિમેલા સંયોજક અને સહસંયોજકો શેરી, મહોલ્લા, સોસાયટી, સહકારી મંડળીઓ, દૂધની મંડળીઓ, ગામના ઓટલે તેમજ ખાટલા બેઠકો યોજી લોકોને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરવાનું એક મહામતદાન અભિયાન સમગ્ર એપ્રિલ માસ તેમજ મે મહિનામાં પણ ઇલેક્શનના દિવસ સુધી પણ ચાલશે. એ.બી.આર.એસ.એમ. – કચ્છ દ્વારા મતદાન જાગૃતિ બાબતે તૈયાર કરેલી પત્રિકા અને સ્ટીકરમાં ભારત+રાષ્ટ્ર+વિધાતા = મતદાતા, હું સશક્ત, સતર્ક, જાગૃત અને સુરક્ષિત ભારતના નિર્માણમાં અવશ્ય મતદાન કરીશ, મારો વોટ મારો અવાજ, રાષ્ટ્રહિતમાં મારુ મતદાન સો ટકા મતદાન, જેવા સૂત્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે, આ બાબતે બન્ને અધિકારીશ્રીઓને વાકેફ કરાયા હતા. બન્ને મુખ્ય તેમજ નાયબ ચૂંટણી અધિકારીશ્રીઓ એ આ પ્રકારની વહીવટી તંત્રને સમર્થન રુપ તેમજ લોક જાગૃતિ માટેની સંગઠન તેમજ કાર્યકર્તાઓની આ રાષ્ટ્રવાદી પહેલને શાબ્દિક વધાવી શુભકામનાઓ પાઠવેલ હતી. આ લોકશાહીના જાગરણ પર્વની ઉજવણીના ભાગરુપ કચ્છ જિલ્લામાં મૂરજીભાઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ સંયોજક રામસંગજી જાડેજા, સહસંયોજક અલ્પેશભાઈ જાની, નયનભાઈ વાંઝા, રમેશભાઈ ગાગલ તેમજ કલ્પેશભાઈ ચૌધરી દશેય તાલુકાઓના સંયોજક તેમજ સહ સંયોજક સાથે સંકલન કરી રાષ્ટ્રહિતમાં આ અભિયાન ચલાવી રહ્યા છે. આ રુબરુ મુલાકાતમાં તાલુકા કક્ષાએથી ભરતભાઇ ધરજીયા, લખધીરસિંહ જાડેજા, બળવંતભાઈ છાંગા, લક્ષમણભાઈ ગઢવી પણ જોડાયા હતા, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ જાગરણ પર્વ સહ સંયોજક અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવેલ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!