અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ અરવલ્લીના માર્ગદર્શક હેઠળ ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન
ગુજરાત સ્થાપના દિવસ ૧, મે ૨૦૨૫ના નિમિત્તે સરકારશ્રી દ્વારા થયેલ પરિપત્ર મુજબ હાલમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી ચાલી રહેલ છે. જે અંતર્ગત દરેક લોકો ખરા અર્થમાં સ્વચ્છતા પ્રત્યે સજાક બને અને ધાર્મિક સ્થળોમાં જે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેને દૂર કરવા માટે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી હાલમાં ચાલી રહેલ છે જેનો મુખ્ય હેતુ એ છે કે સહકારની ભાવના લોકોમાં વધુમાં વધુ પ્રવર્તિત થાય જેથી સુખ દુઃખના પ્રસંગે લોકો એક જ જૂથ થઈને તફલિફ અને સમસ્યામાંથી બહાર નીકળી શકે.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ અરવલ્લીના માર્ગદર્શન હેઠળ સરકારના પરિપત્ર અનુસાર સાબરડેરીના સહયોગથી અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ , ભિલોડા, બાયડ અને ધનસુરા તાલુકામાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં સહકારી મંડળીઓના સભાસદો અને હોદ્દેદારો તેમજ સાબરડેરીના ડિરેક્ટરઓ તેમજ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓએ સાથે મળીને ભિલોડાના નવા ભવનાથ મંદિરમાં, મોડાસાના રાજપુર ગામે આવેલ રામદેવપીર મંદિરમાં, ધનસુરા ગામમાં આવેલ રામજી મંદિરમાં, માલપુર ગામના સાતરડા ગામમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં, મેઘરાજ જિલ્લાના જલારામ મંદિર ખાતે તથા બાયડ તાલુકામાં સુંદરપુરા ગામના અંબાજી માતાજીના મંદિરમાં સૌએ સાથે મળીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી છે.