સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી છોડાવવા મોટી સંખ્યામાં ખેડુતો ના વાસણા કેનાલ પર ધામા

લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી દિયોદર થરાદ વિસ્તાર મા ચાલતી સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી છોડાવવા ખેડુતો આંદોલન કરવા મજબૂર સરકાર દ્વારા 11 જુન પાણી છોડાવા ના પોકળ વાયદા નકર નિવડતા ખેડુતો ઢોલ સાથે વાસણા ગામે ઢોલ સાથે કેનાલ મા પાણી છોડાવવા મેદાને દિવશે ને દિવશે ભુગર્ભ જળ મા ઘટાડો અને પાણી મા વલખા મારતો ખેડુતો રિસાયો જોકે વર્તમાન મા હજી સુધી વરસાદ થયો નથી અને ખેડુતો વાવણી માટે વલખા મારી રહ્યા છે એક બાજુ સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી પણ નથી સરકાર દ્વારા વાયદાઓ કરવા મા આવ્યા હતા 11 જુન ના રોજ પાણી છોડવા મા આવશે પણ હજી સુધી પાણી છોડાવવા મા આવ્યું નથી 12 કલાક મા પાણી લાખણી વિસ્તાર સુધી નહી પહોચે તો આવનારા સમય મા ચાંગા પંપીંગ સ્ટેશન એ આંદોલન કરવા મજબૂર થવુ પડશે ખેડુત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત આજુબાજુના વિસ્તાર મા થી બહોળી સંખ્યામાં ખેડુતો એકત્રિત થઈ ને સરકાર ને 12 કલાક મા પાણી છોડવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી હતી



