લાખણી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઢા ખાતે મન કી બાત નો કાર્યક્રમ યોજાયો

નારણ ગોહિલ લાખણી 

વાવ થરાદ જીલ્લા લાખણી તાલુકા ભારતીય જનતા પાર્ટીના ના સૌ કાર્યકર્તા અને હોદેદારો દ્વારા લાખણી તાલુકાના ગોઢા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની મન કી બાત નો કાર્યક્રમ યોજાયો ઓગડ ભગવાન મંદિર ગોઢા ખાતે ભારતીય જનતા પાર્ટી લાખણી મંડલ દ્વારા માનનીય નરેન્દ્ર મોદીજીના ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. નરેશભાઈ ઠાકોર અને જિલ્લા ચેરમેન બાબરાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ અને આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો
કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયી વિચારોનું શ્રવણ કરી,રાષ્ટ્રસેવા, જનકલ્યાણ અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમ મા ઉપસ્થિત વિવિધ મોરચા ના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને મહામંત્રી ઓ પાર્ટી ના સૌ હોદેદારો અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો



