BHARUCHNETRANG

નેત્રંગ તાલુકામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

નેત્રંગનો છે જાગૃત યુવાન, નહિ રાખે બાકી મતદાન...

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૧/૦૪/૨૦૨૪

 

 

આગામી તા.૭ મેના રોજ દેશના તહેવાર સમા લોકશાહીના પર્વમાં ભારતના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવે છે.

 

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ની ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અઘિકારી સ્વાતિ રાઓલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે તા.૦૧/૦૪/૨૦૨૪ ના રોજ લોકશાહીના આ અવસરમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન તેમજ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

 

જેના ભાગ રૂપે સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગ ખાતે કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમાર અને મનમોહનસિંહ યાદવ (જી.ઇ.એસ-૨) તેમજ બિલોઠી શાળાના આચાર્ય યોગેન્દ્રસિંહ સિમોદરીયા, બ્રિજેશ પટેલની ઉસ્થિતિમાં નેત્રંગ કોલેજ ખાતે મતદાન અંગે પ્રતિજ્ઞા, મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે તેમજ પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન તેમજ સીગ્નેચર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જો

ડાયા હતા.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!