
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પેટીયા ગામે પશુપાલન શાખા જિલ્લા પંચાયત ભરૂચ સંચાલિત પશુ દવાખાના વાલિયાના ડૉ.પશાંત વસાવા તેમજ તેમની ટીમ થકી પશુ સારવાર અને આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ ૨૪૬ જેટલા પશુઓને ખરવા મોવાસા રસીકરણ તથા ૧૭ પશુઓને વંધત્યની સારવાર અને ૧ પશુને શિંગાળાના કેન્સરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.



