BHARUCHJHAGADIYA

ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા એ.એ. અન્સારી સાહેબને રફીક પીરઝાદા સાહેબે પાઠવી શુભેચ્છા અને દુઆઓ

ગુજરાત બાર કાઉન્સિલ હાઇકોર્ટમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મશહૂર એડવોકેટ જનાબ એ.એ. અન્સારી સાહેબ વિજેતા બનતા તેમને વિવિધ વિસ્તારોમાંથી અભિનંદન મળી રહ્યા છે।

આ પ્રસંગે છોટાઉદેપુર, વિરમગામ તથા ઝઘડીયાના ગાદીપતી જનાબ રફીક પીરઝાદા સાહેબે પણ અન્સારી સાહેબને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમની સફળતા બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા. સાથે જ રફીક પીરઝાદા સાહેબે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દિલથી દુઆઓ પણ કરી હતી।

એ.એ. અન્સારી સાહેબે કાયદાકીય ક્ષેત્રમાં લાંબા સમયથી સેવાઓ આપી છે અને તેમના અનુભવ તથા પ્રતિભાના આધારે આ મહત્વપૂર્ણ જીત હાંસલ કરી છે।

તેમની આ સિદ્ધિ બદલ સહકર્મીઓ અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવાઈ રહી છે।

Back to top button
error: Content is protected !!